પાલનપુર તાલુકાના મલાણા ગામમાં એક મહિલાને પાણી ભરતી વખતે કરંટ લાગ્યો હતો. જેનું સારવાર માટે ખસેડતા સમયે મોત નિપજતાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.
પાલનપુર તાલુકાના મલાણા ગામમાં મંગળવારે એક મહિલાને પાણી ભરતી વખતે કરંટ લાગ્યો હતો. જેમનું સારવાર માટે ખસેડતી વખતે મોત નિપજતાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. મંજુલાબેન વિક્રમભાઇ બારોટ (ઉ.વ.૪૦) તેમના ઘરે પાણી ભરી રહ્યા હતા. ત્યારે વીજ કરંટ લાગ્યો હતો. જ્યાં પરિવારજનો દોડી આવ્યા હતા. અને તેમને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેણીને મૃત ઘોષિત કર્યા હતા. દેવ દિવાળીના દિવસે જ મંજુલાબેનનું વીજ કરંટથી મોત નિપજતાં પરિવારજનોના આક્રંદથી શોકની કાલિમા પ્રસરી જવા પામી હતી.