થરાદના દુધવા પાસે કારની ટક્કરથી અક્સ્માતમાં આખલાનું મોત, પાંચને ઇજા

પ્રાપ્ય માહિતી મુજબ થરાદ સાંચોર હાઇવે પર રવિવારની વહેલી પરોઢના ચારેક વાગ્યાના સુમારે એક કાર પુરઝડપે પસાર થઇ રહી હતી.દરમ્યાન જમડા ભોરોલ રોડ પર જાણદી ગામની સીમમાંથી પસાર થતાં એક નંદીને ધડાકાભેર ટક્કર મારી હતી.જેના કારણે નંદીનું સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું હતું.આ બનાવમાં તમામ વ્યક્તિઓને ઇજાઓ થવા પામી હતી.અમદાવાદના બોપલ વિસ્તારના પાંચ વ્યક્તિઓ જેસલમેરથી થરાદ તરફ આવી રહ્યા હતા.દરમ્યાન ઘટના બનતાં અક્સ્માતને કારણે કાર લોક થઇ જવા પામી હતી.જેમને લોકોએ બહાર કાઢી થરાદની ૧૦૮ને જાણ કરી હતી.આથી દોડી ગયેલા અમરાભાઇ ઇએમટી અને પાયલોટ અરવિંદસિંહે ઇજાગ્રસ્ત આકાશભાઇ પટેલ ૨૫ વર્ષ સહિત બે ને શહેરની સરકારી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.જો કે આ બનાવમાં કારનો ખુરદો બોલી ગયો હતો.જેને પ્રાથમિક દષ્ટીએ જોઇને જ બનાવ જીવલેણ હોવાની પ્રતિતી થતી હતી.પરંતુ તેમાં બેઠેલા વ્યક્તિઓનો ચમત્કારીક બચાવ થવા પામ્યો હતો.જ્યારે નંદીનું સ્થળ પર જ મોત નિપજતાં અરેરાટી મચવા પામી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.