ઊંઝામાં પેટ્રોલપંપ સળગાવવાનો પ્રયાસ કરનારા વધુ ત્રણ ઝડપાયા

ઊંઝા પોલીસે હાઇવે સ્થિત પેટ્રોલ પંપ સળગાવવાના પ્રયાસના ગુનામાં ફરાર ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. 
ઊંઝા-મહેસાણા હાઇવે પર આવેલા ૯૯.૯૯ પેટ્રોલપંપે ૨૦ નવેમ્બરે રાત્રે ગાડી (જીજે ૦૧ કેપી ૯૦૯૦)માં સીએનજી પુરાવા મુદ્દે ૪ શખ્સોએ દીવાસળીથી પંપ સળગાવવા પ્રયાસ કરી ફરાર થઇ ગયા હતા. જેમાં બુટાપાલડીનો અને ડીસામાં રહેતો અરવિંદજી છનાજી ઠાકોર ઘટના સ્થળે જ પકડાઇ ગયો હતો. જ્યારે ફરાર ૩ આરોપી પૈકી મહેરવાડાના જશવંતજી મેઠાજી ઠાકોરને રવિવારે ઊંઝાથી ઝડપી લીધો હતો. જ્યારે શ્રવણજી અનારજી વાઘેલા (વડાવળ, તા.ડીસા) અને તેજસિંહ વીંજાજી રાજપૂત (એ/૧૯૨, ગુરુગ્રીન સોસાયટી, ડીસા) હાઇકોર્ટમાંથી આગોતરા લાવેલા હોઇ એમની અટકાયત કરી જામીન પર મુક્ત કર્યા હતા. ઊંઝા પોલીસે ગુનામાં વપરાયેલી કાર જપ્ત કરી હતી.

 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.