ગુજરાતમાં કિલર સ્વાઈનફ્લુથી વધુ ત્રણનાં મોત : કુલ મૃત્યાંક ૧રપ

ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો આતંક યથાવત રીતે જારી રહ્યો છે. સ્વાઈન ફ્લુના કારણે વધુ ત્રણ લોકોના મોત થયા હતા અને ૪૬ નવા કેસ આજે એક જ દિવસમાં સપાટી ઉપર આવ્યા હતા. આની સાથે જ સ્વાઈન ફ્લુથી અસરગ્રસ્ત લોકોની સંખ્યામાં સતત વધારો થયો છે. બીજ બાજુ એકલા અમદાવાદમાં આજે સ્વાઈન ફ્લુના આઠ નવા કેસ નોંધાયા હતા. સ્વાઈન ફ્લુથી અસરગ્રસ્ત થયા બાદ સારવાર હેઠળ રહેલા લોકોની સંખ્યા હજુ પણ ૪૨૧ જેટલી નોંધાયેલી છે. અમદાવાદ સહિત જુદા જુદા વિસ્તારોમાં સ્વાઈન ફ્લુને રોકવા માટે વિવિધ પગલાં લેવાઈ રહ્યા હોવા છતાં દરરોજ નવા કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. રાજ્યમાં સ્વાઈન ફ્લુથી અસરગ્રસ્ત લોકોની સંખ્યા ૪૨૧૪ ઉપર પહોંચી ગઈ છે. જ્યારે વધુ ત્રણ લોકોના મોત સાથે મૃતકોની સંખ્યા પણ ૧૨૫ ઉપર પહોંચી ગઈ છે. પહેલી જાન્યુઆરીથી લઈને હજુ સુધી કુલ દર્દઓમાંથી ૩૬૧૭ જેટલા દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે. તેમને હોÂસ્પટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે. ૪૨૧ લોકો રાજ્યની જુદી જુદી હોÂસ્પટલમાં હજુ સારવાર હેઠળ છે. સ્વાઈન ફ્લુના સૌથી વધુ દર્દીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં નોંધાયા છે. જે પૈકી મોતનો આંકડો પણ અમદાવાદમાં સૌથી વધારે નોંધાયો છે. રાજ્યમાં શુક્રવારના દિવસે સ્વાઈન ફ્લુના ૫૩ કેસ નોંધાયા હતા. અમદાવાદમાં ૧૨ કેસ નોંધાયા હતા. આનો મતલબ એ થયો કે છેલ્લા બે દિવસમાં અમદાવાદમાં સ્વાઈન ફ્લુના ૨૦ કેસ નોંધાઈ ચુક્યા છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુનો હાહાકાર રહ્યો છે.  રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં સ્વાઈનફ્લૂનો આતંક વધારે દેખાઈ રહ્યો છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.