પાલનપુરના માનસરોવર તળાવમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. માનસરોવર તળાવમાંથી મૃતદેહ મળી આવતા લોકો ટાળે વળ્યાં હતા. જોકે, આ મૃતદેહ એક અસ્થિર મગજ ના યુવકનો હોવાની ઓળખ પ્રસ્થાપિત થઇ છે. જે યુવક માનસરોવર તળાવની પાસે હરિપુરામાં તેના મામાના ઘેર રહેતો હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે ઘટના સ્થળે જઇ મૃતદેહને પોષ્ટમોર્ટમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.