ઉડતી આફત : વાવના સરહદી ૩ ગામમાં તીડના ધામા, ખેડૂતોના પાકનો સફાયો
વાવ તાલુકાના સરહદી ત્રણ ગામોમાં ત્રણ દિવસથી તીડોએ ધામા નાંખતા ખેડૂતોના ખેતરોમાં ઉભેલા લીલોછમ પાકનો રાતાચોળ કરી નાખ્યો છે. જેને લઇ ખેડૂતો હવે બિસ્તરા-પોટલા લઇ ઘર ભેગા થવાના દિવસો આવી ગયા છે. તીડોએ આ ત્રણ દિવસમાં ત્રણ ગામોમાં ખેડૂતોને કરોડોનું નુકશાન કર્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. હાલમાં વાવના સરહદી રાધાનેસડા, કુંડાળીયા અને માવસરી ત્રણેય ગામોમાં ત્રણ દિવસથી તીડોનું આક્રમણ યથાવત રહ્યું છે.