દેશ માં આગામી વર્ષ ૨૦૧૯ ચુંટણીનું વર્ષ છે તેથી રોજેરોજ નીતનવા સર્વે દ્વારા પરિણામને લઇ અટકળ થઇ રહી છે. ભાજપ-કોંગ્રેસમાં કોણ આગળ રહે છે તેની રસપ્રદ ચર્ચાઓ છેડાઈ રહી છે ત્યારે ચુંટણી સર્વેના અઢંગ ખિલાડી પ્રશાંત કિશોર દ્વારા તાજેતરમાં જરી કરાયેલ સર્વેમાં ૨૦૧૯માં વડાપ્રધાન તરીકે મોદીને આમ પ્રજાએ ૪૮ ટકા વોટ જયારે રાહુલ ગાંધીને વડાપ્રધાન તરીકે માત્ર ૧૧ ટકા વોટ આપ્યા છે. હવે જોવું રહ્યું કે આગામી સમયમાં કોંગ્રેસ આ મુદ્દે કયો નવો તુક્કો અજમાવે છે.