કાંકરેજ તાલુકા ના થરા ભાભર રોડ પર ગઇ કાલે બાઇક ,રિક્ષા અને અલ્ટોકાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.જાણવા મળતી માહીતી અનુસાર રીક્ષા જાખેલથી થરા તરફ જઇ રહી અને અલ્ટોગાડી થરાથી ભાભર તરફ જઇ રહ્યુ ત્યારે અકસ્માત સર્જાયો હતો. આ ત્રણે વાહનો માં રહેલ મુસાફરો માંથી ૧૧ ઘાયલ થયા હતા. જેમ ને થરા ખાતે સારવાર માટે લવાયા હતા.૧૧ ઇજાગ્રસ્તો માંથી ૫ વધુ સારવાર માટે ૧૦૮ એમ્બયુલન્સ મારફત પાટણ ખાતે રીફર કરાયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર ગઇ કાલ બપોર ના સુમારે થરા ભાભર રોડ પર બાઇક, રિક્ષા અને અલ્ટો ગાડી વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં રહેલ મુસાફરો માંથી ૧૧ લોકો ઘાયલ થયા હતા. ઘટના સ્થળે ૧૦૮ તેમજ પ્રાઇવેટ વાહન મારફતે તાત્કાલિક થરા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. ૧૧ ઘાયલોમાંથી ૫ ગંભીર ઘાયલ મુસાફરો વધુ સારવાર માટે ધારપુર પાટણ રીફર કર્યા હતા.ઇજાગ્રસ્ત થયેલ મુસાફરો નામ ભગવાનભાઈ ગાંડાભાઈ પરમાર -ઉંમર ૨૮ ,જાખેલ, પ્રિન્સ અશોકભાઈ પરમાર ઉંમર ૩, જાખેલ, અકબરભાઈ જાફરભાઈ મીર ઉંમર ૨૧, બુકણા, સબુબેન પિન્ટુભાઈ મીર ઉંમર ૬ ,બુકણા, જાફરભાઈ વિરાભાઈ મીર -ઉંમર ૬૫ ,બુકણા,પિન્ટુભાઈ નરસુંગભાઈ ઠાકોર -ઉંમર ૬૦, તેરવાડા, વિરચંદજી નરસુંગજી ઠાકોર -ઉંમર ૬૦ ,તેરવાડા, કીર્તિભાઈ રૂપાભાઈ પરમાર -ઉમર ૨૧, જાખેલ, અશોકભાઈ રૂપાભાઈ પરમાર -ઉમર ૨૬, જાખેલ, મધુબેન સુરેશભાઈ પરમાર -ઉમર ૩૦, જાખેલ, સુરેશભાઈ મસાભાઈ રાવળ -ઉમર ૩૦, જાખેલ વગેરે ધાયલ થયાં હતા.