હિંમતનઞર લોકસભાની ચૂંટણી આવી રહે છે ત્યારે હવે રામ મંદિરનો મુદ્દો ફાટી ઉઠાવાઈ રહ્યો છે. સાબરકાંઠા જીલ્લાના હિમતનગર ખાતે આજે સંતો ઈ હાજરીમાં ધર્મ સાંસદ યોજાઈ હતી. જો કે ૨૫૦૦૦ લોકો આવશે તેવા દાવા કરાયા બાદ આ કાર્યક્રમમાં માત્ર ૫૦૦૦ જેટલા લોકો હાજર રહ્યા હતા. સાધુ સંતોએ આ પ્રસંગે ન્યાયાલયો દ્વારા રામ મંદિર મુદ્દે ઝડપથી ચુકાદો આપાય તેવી માંગ કરી હતી. તો બાબા રામદેવે જો રામ મંદિર નહિ બને તો મોદી સરકાર પરથી લોકોનો ભરોસો ઉઠી જશે તે રીતના આપેલા નિવેદનને કેન્દ્રીય પ્રધાન ઉમાશંકર શર્માએ સત્ય ગણાવ્યું હતું. તો યોગી આદિત્યનાથે હનુમાનજીની જાતી વિષે કરેલા નિવેદન વિષે કઈ પણ બોલવાનું ઉચીત માન્યું ન હતું.