રાધનપુરમાં જલારામ બાપાની ૨૧૯મી જન્મજયંતીની દબદબાભેર ઉજવણી

 રાધનપુરમાં જલારામ બાપાની ૨૧૯મી  જન્મજયંતીની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી,અખિલ રઘુવંશી સમાજ દવારા રામજી મંદિર ખાતે સવારે નવ વાગે જલારામ બાપાની ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે અખિલ રઘુવંશી સમાજના ભાવિકજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આરતીનો લાભ લીધો હતો.સાડા નવ વાગે મંદિર પરિસરમાં ભજન-સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં કલાકારો તેજાભાઈ ચૌધરી અને ડી.સી.ગોકલાણીએ જલારામ બાપાના ભજનોની રમઝટ જમાવી હતી.જયારે બપોરે બાર વાગે સમાજના લોકોએ સાથે ભોજન પ્રસાદ લીધો હતો. બપોરે ત્રણ વાગે જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી,જેમાં બેન્ડવાજાની સુરાવલીઓ વચ્ચે બાપાના ભજનોની રમઝટ જામી હતી. સાંજે સાત વાગે રામવાડી ખાતે શોભાયાત્રાની સમાપ્તિ બાદ અખિલ રઘુવંશી સમાજે સાથે ખીચડી અને કઢીનો પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.