ધાનેરા તાલુકાના તલાટીઓ સામુહીક રજા ઉપર ઉતરી ગયા

 
 
 
 
                                                                                  ધાનેરા તલાટી મંડળે શુક્રવારે ફરી ન્યાયની માંગણી સાથે  આવેદનપત્ર આપ્યું હતું અને સામુહીક રીતે રજા ઉપર ઉતરી જઈ તાલુકા વિકાસ અધિકારી માનસીક ત્રાસ ગુજારતા હોવાનો આક્ષેપ કર્યો હતો. ધાનેરાના તાલુકા વિકાસ અધિકારી તરીકેનો ચાર્જ હાલ એમ.બી.રાવ સંભાળે છે.ધાનેરા તાલુકાના ૭૭ ગામોના લોકોને સરકારી સુવિધાઓ મળી રહે તે માટે ઇન્ચાર્જ ટીડીઓ સક્રિય પ્રયાસો કરી રહ્યા છે. તેઓ દર અઠવાડિયે તલાટીઓ સાથે મીટીંગ કરી તલાટીઓને હેડક્વાર્ટર પર અચૂક હાજર રહેવા તાકીદ પણ કરતા હોય છે.જો કે કેટલાક તલાટીઓ મીટીંગમાં હાજરી આપતા ના હોઈ તાલુકા વિકાસ અધિકારીએ શિક્ષાત્મક કાર્યવાહીની સૂચના આપતા તલાટીઓ નિયમિત થયા હતા અને ધાનેરા તાલુકાની ૬૧ ગ્રામ પંચાયતના તાળા પણ નિયમિત ખુલવા માંડયા હતા
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.