ડીસા તાલુકાના ખેડૂતોને શાકભાજીના પોષણક્ષમ ભાવ ન મળતા નિરાશા

 
ડીસા
ડીસા તાલુકાના ખેડૂતોએ આ વર્ષે વિપુલ પ્રમાણમાં ફુલાવર, દૂધી, મરચા તથા ટામેટા જેવા શાકભાજીના પાકોનું વાવેતર કરેલ છે.જોકે હાલ શાકભાજીના પોષણક્ષમ ભાવ ના મળતા હોઇ ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.
ડીસાના પીડિત ખેડૂત રામપ્રસાદ લોધાએ જણાવ્યુ હતું કે અમે માર્કેટમાં ફુલાવર વેચવા જઈએ તો મણના ૪૦ રૂપિયા જ મળતા હોઈ રીક્ષાભાડું અને મજૂરી પણ મળતી નથી.ત્રણ ત્રણ મહિના મથીને ખેડૂતો વાવેતર કરે ત્યારે  શાકભાજીના પાકો તૈયાર થાય છે. આવી સ્થિતિમાં ભાવ ન મળતા ખેડૂતોની  સ્થિતિ પડતા ઉપર પાટુ મારવા જેવી થઈ ગઈ છે.
પોષણક્ષમ ભાવ ન મળતાં કેટલાક ખેડૂતોએ શાકભાજી ઢોરોને ખવડાવવા રોડ પર ફેંકવા ઉપરાંત ગૌશાળાઓમાં પણ ટ્રેક્ટર ભરીને ફુલાવર આપી દીધા છે. હાથમાં મજૂરીના પૈસા પણ ન મળતા ખેડૂતોની હાલત દયનિય બની જવા પામી છે. એક બાજુ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી મોંઘવારીએ માજા મુકી છે ત્યારે ખેડૂતોને પોક્ષણક્ષમ ભાવ ના મળતા પડતા ઉપર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે સરકાર વિના વિલંબે ખેડૂતોને શાકભાજીના પોક્ષણક્ષમ ભાવ મળે તેવી વ્યવસ્થા કરે તેવી માંગ ઉઠી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.