ડીસા તાલુકાના કૂચવાડા ટોલ ટેક્સ પાસે ટ્રેલરે રિક્ષાને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષામાં સવાર ૪ લોકોના મોત નિપજ્યા છે.ધાનેરા આ ૧૦૮ અને સ્થાનિક પોલીસ ટિમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે
અમદાવાદના સારંગપુરમાં રહેતા ચાર ઈસમો પૂનમ ભરવા માટે પોતાના વતન પાસે આવેલ બનાસકાંઠાના ડીસા તાલુકાના વિઠોદર આગ માતાના મંદિરે અમદાવાદ થી રીક્ષા લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન પાંથાવાડા પાસે આવેલ કૂચવાડા હાઇવે પર ટ્રેલરે રિક્ષાને અડફેટે લેતા ગાખવરા અકસ્માત સર્જાયો હતો .. જેમાં રીક્ષા પર ટ્રેલર ફરી વળતા રિક્ષાનો કચર ઘાણ બોલી ગયો હતો.. ઘટના સ્થળે ૩ ઇસમોના મોત નિપજ્યા હતા જ્યારે એક ની હાલત ગંભીર હોવાથી ધાનેરા ૧૦૮ ની ટીમના રજનીકાંત રાવલ અને ઇએમટી દેવુંસિંગ વાઘેલા દ્વારા ઘાયલ પાંથાવાડા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખેસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન ઇસમનું મોત નીપજ્યું હતું.
પાંથા વાડા પોલીસ ની ટિમ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક દૂર કયો હતો. આ અકસ્માત અમદાવાદના સારંગપુરમાં રહેતા અને બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના મહેશજી જયંતીજી ઠાકોર,સનાભાઈ બાજુજી ઠાકોર, રાજુજી હસુજી ઠાકોરના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજનાર યુવકની ઓળખવીધી થઈ નથી.. પાંથાવાડા પોલીસે ગુનો નોંધી ટેલર કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે.