રાજ્યના APL-૧ કાર્ડધારકોને પણ અનાજ અપાશે,મુખ્યમંત્રી રૂપાણીનો મોટો નિર્ણય

ગુજરાત
ગુજરાત

 
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આજે મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક બાદ સીએમ રૂપાણીએ કહ્યું કે, આ સમયમાંથી વિજય મેળવવાનો છે. APL– ૧ કાર્ડ ધારાકોને પણ અનાજ આપવામાં આવશે. સવા ત્રણ કરોડ લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરશે. સુખી- સંપન્ન લોકો APL– ૧નો અધિકાર જતો કરે. ગરીબોને પૂરતી મદદ કરવામાં આવશે. CM રૂપાણીએ જનતાને સહકારની અપીલ કરી હતી.
 
આ મામલે મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં જણાવ્યું કે, રાજ્યના કોઈપણ પરિવારને અનાજની અછત નહીં પડે. અન્નબ્રહ્મ યોજના હેઠળ અનાજ આપવામાં આવશે. BPL– ૧ કાર્ડધારકોને પણ અનાજ અપાશે. એપ્રિલ માસ સુધી તેમને અનાજ આપવામાં આવશે. ધારાસભ્યોના પગારમાં ૧ વર્ષ સુધી ૩૦%નો કાપ મુકાશે. APL– ૧ કાર્ડ ધારાકોને પણ અનાજ આપવામાં આવશે.
 
આ ઉપરાંત તેઓએ કહ્યું કે, GST એક્ટમાં સુધારો કરવામાં આવશે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં હોસ્પિટલ તૈયાર છે. ૨૨૦૦ બેડની હોસ્પિટલ COVID – ૧૯ તૈયાર કરાઈ છે. આ હોસ્પિટલમાં વેન્ટિલેટરની સુવિધા પણ કરાઈ છે. દરેક નાગરિક ઘરમાં રહીને જ લોકડાઉનનું પાલન કરે. હવે આગામી એક – એક દિવસ ખૂબ જ મહત્વના તેવું અશ્વિની કુમારે જણાવ્યું હતું.a

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.