ડીસા-મંડાર હાઈવે પર ગુરુવારે મોડી રાતે ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્વિફ્ટ કાર અને બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણેય વાહનોમાં આગ લાગી હતી.આ ગોઝારી ઘટનામાં કારમાં સવાર વરરાજાના માતા-પિતા સહિત પાંચ લોકો બળીને ભડથું થઈ ગયા હતાં. આ કરૂણ ઘટનાની પોલીસે તપાસ હાથ ધરી છે. અકસ્માતગ્રસ્ત કારમાં સવાર લોકો પુત્રના લગ્નમાંથી પરત ફરી રહ્યાં હતાં. જેમાં વરરાજાના માતા-પિતા સહિત અન્ય 3 લોકો સવાર હતાં. અકસ્માતના કારણે લગ્નનો માહોલમાં માતમ છવાઈ ગયો હતો
મળતી માહિતી પ્રમાણે મંડારમાં પુત્રના લગ્ન પતાવી અમીરગઢનો પરિવાર પરત ફરી રહ્યો હતો, ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.કારમાં સવાર પરિવારના ઘરે પણ દીકરીનો લગ્નપ્રસંગ હતો.જોકે વરરાજાના માતા-પિતા સહિત બીજા ત્રણ લોકોના ગમખ્વાર અકસ્માતમાં મોત થતા લગ્નનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, મંડારમાં પુત્રના લગ્નમાંથી અમીરગઢનો પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે આ ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં વરરાજાના માતા-પિતા સહિત પાંચ લોકોનાં મોત નિપજતાં લગ્નનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો હતો. મૃતક પરિવારમાં આજે પુત્રીનાં પણ લગ્ન હતા.આ ઘટનાથી અમીરગઢમાં પણ શોકનો માહોલ સર્જાઈ ગયો છે.