બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના બહુમતિ સભ્યોએ ‘‘પ્રમુખ’’ સામે ઉહાપોહ કરી અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કરવાની માંગ કરી હતી. જેનાથી બચવા પ્રમુખ હાઈકોર્ટના શરણે ગયેલ જેની સામે વિરોધ કરતા સભ્યો પણ હાઈકોર્ટમાં જતાં બંને પક્ષ વચ્ચેની ખેંચતાણમાં સામાન્ય સભા થવા દેવી ને જેમાં જે નિર્ણય થાય તેના પછી કોર્ટે જે હુકમ કરે તેના પર બધું નિર્ભર બનતા જિલ્લા વિકાસ અધિકારી બનાસકાંઠાએ કાંકરેજ ટીડીઓને તા.ર૯/૧૦/૧૮ ના સામાન્ય સભા બોલાવવાનો હુકમ કરતાં તે મુજબ તા. ર૯/૧૦/ર૦૧૮ ના કાંકરેજ તાલુકા પંચાયત કચેરી સભાગૃહમાં ચૂંટાયેલા સભ્યોની બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસના ત્રણ સભ્યો ગેરહાજર જ્યારે પ્રમુખ સહિત -૧૮, ભાજપના-૦૮ અને ૦૧ અપક્ષ એમ કુલ -ર૭ સભ્યોની હાજરીમાં ર૬ સભ્યોએ પ્રમુખ વિરુદ્ધ ‘‘અવિશ્વાસ’’ નો ઠરાવ પસાર કરતાં કાંકરેજ તાલુકાના રાજકારણમાં હડકંપ મચી જવા પામ્યો હતો હવે શું?? ત્યારે ભાજપના સભ્યો વિરુદ્ધ મતદાન કરી ‘‘મૌન’ બન્યા હતા.