વડાવલ : બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો છે.પરંતુ કેટલાક સ્થળો પર હજુ પણ છુટોછવાયો વરસાદ થવા પામ્યો છે.રાજ્યમાં રાજ્યમાં વરસાદી સિસ્ટમ હજુ પણ સક્રિય હોવાથી હવામાન વિભાગે રાજ્યભરમાં છુટો-છવાયો વરસાદની શક્યતા વ્યક્ત કરી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ અમીરગઢ વડગામ પાલનપુર સહિતના વિસ્તારોમાં છુટાછવાયા વરસાદી ઝાપટા થયાના અહેવાલો મળી રહ્યા છે.બનાસકાંઠા જિલ્લા મોસમ વિભાગના સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં ૨૦ ઓગસ્ટ ના સવારે ૬ વાગ્યા સુધી અમીરગઢમાં ૧૩ મિલીમીટર દાંતીવાડામાં ૬ મિલિમીટર પાલનપુરમાં ૧ એને વડગામમાં ૬ મિલીમીટર જેટલો વરસાદ નોંધાવા પામ્યો છે આ ઉપરાંત જિલ્લાના કેટલાક ભાગોમાં પણ છૂટો છવાયા છાંટા થયાના સમાચારો મળી રહ્યા છે. આકાશમાં વાદળો અને વરસાદી માહોલને લઇ ઉકળાટ અને બફારાનું પ્રમાણ પણ વધ્યું છે.આ ઉપરાંત વરસાદના અભાવે તાપમાન પણ ઉંચે જતા લોકો પરેશાન થઈ ઉઠયા છે તથા બેવડી ઋતુ સર્જાવાથી લોકોમાં તેની સીધી અસર પણ જોવા મળી રહી છે જોકે હજુ આગામી સમયમાં વધુ સારા વરસાદની પણ શક્યતાઓ સેવાઇ રહી છે.