ડીસામાં રસ્તો ઓળંગવા જતા રાહદારી આધેડનું વાહનની ટક્કરે મોત

ડીસામાં હાલમાં ઓવર બ્રિજ બનાવવાની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે. જેને લઈ દિવસ દરમિયાન અવાર નવાર ટ્રાફિક જામ થવાની સમસ્યા  રોજિંદી બની છે.દિવસ દરમિયાન અવાર નવાર ટ્રાફિક જામ થઈ જતા રાહદારીઓની હાલત કફોડી બની જાય છે અને અનેક વાર નાના મોટા અકસ્માત પણ બને છે ત્યારે આજે રવિવારે ડીસાના ગાયત્રી મંદિર નજીક  સવારથી જ ટ્રાફિક જામ હતો અને તે દરમિયાન રસ્તો ઓળંગવા જતા એક આધેડને અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારતાં તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.બનાવના પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. મૃતકની પાસેથી મળી આવેલ આધાર કાર્ડ મુજબ આ આધેડ સેધાભાઈ રામજીભાઈ મેંજિયાતર રહે.મોટા કાપરના હોવાનું અનુમાન લાગવાયું હતું. જોકે આ બનાવના પગલે પોલીસની ટિમ દોડી આવી હતી અને મૃતક લાશને પીએમ અર્થે મોકલી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.