વાવ તાલુકા પંચાયત કચેરી ખાતે મીની ગરીબ કલ્યાણ મેળો યોજાશે

વાવ આવતીકાલે તા.૩૧/૧/૧૯ ને ગુરૂવારના રોજ સવારે ૧૧ઃ૦૦ કલાકે વાવ તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં મીની ગરીબ કલ્યાણ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જે પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૧પપ/- લાભાર્થીને સ્થળ ઉપર જ વર્કઓર્ડર અપાશે. આ ગરીબ કલ્યાણ મેળાનું સુંદર આયોજન કરવામાં વાવ તા.પં.પ્રમુખ કાંનજભાઈ રાજપુત, ટી.ડી.ઓ., બી.ડી.સોલંકી, મદદનીશ ટી.ડી.ઓ ભરતભાઈ ત્રિવેદી વિ.અધિકારી પ્રધાનમંત્રી હરજીભાઈ ઓડ, મગનભાઈ પરમાર તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના અને તા.પં.કચેરીના સ્ટાફમિત્રો તેમજ સદસ્ય મિત્રોની કામગીરી પ્રશંસાને પાત્ર બની રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૧પપ/- લભાર્થીઓને સ્થળ ઉપર જ વર્ક ઓર્ડર મળશે જેથી કરીને તેમને તેમના ઘરનું ઘર બનવાનું સ્વપ્ન સાકાર  થશે. લાભાર્થી મિત્રોને આવી ઉમદા સેવા મળવા બદલ અધિકારી-પદાધિકારી ગણની કામગીરી પ્રસંશાને પાત્ર બની રહી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.