યાત્રાધામ અંબાજીમાં ગરમીના પ્રકોપ વચ્ચે ધોરમાર વરસાદ

યાત્રાધામ અંબાજી ખાતે પણ આજે ગરમીના પ્રકોપ વચ્ચે બપોરે બે વાગ્યે અચાનક મૌસમે મિઝાઝ બદલતાં અંબાજીમાં ધોરમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. અંબાજીમાં યોજાનાર ભાદરવી પૂર્ણિમાના મહા મેળા આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને વહીવટી તંત્ર દ્વારા મેળાની તૈયારીઓ આટોપી રહ્યું છે. ત્યારે જ અંબાજીમાં ધોરમાર વરસાદ પડતા બજારમાં પાણી પાણી થઈ ગયું હતું. આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીના વચ્ચે આજે અંબાજીમાં વીજળીના કડાકા ભડાકા અને વાદળોની ગર્જના સાથે ધોરમાર વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારોની દુકાનો અને સ્ટોલોમાં પાણી ભરાઈ જતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.