ધાનેરા :ધાનેરામાં ડીપ્થેરીયાના આતંક વચ્ચે ગઈકાલે વધુ ચાર નવા કેશ સાથે એક મહીલા પણ સકંજામાં સપડાતા લોકોમાં હાહાકાર વચ્ચે ભયનો માહોલ છવાયો છે. લેલાવા ગામની ડાહીબેન રમેશભાઈ દેસાઈ(ઉ.વર્ષ ૩૦)ને શંકાસ્પદ ડીપ્થેરીયા જણાતા વધુ સારવાર અર્થે ડીસા સિવીલ ખસેડાઈ છે. એ સિવાય વધુ ચાર નવા કેશોમાં દક્ષાબેન જગદીશભાઈ માજીરાણા, (શેરગઢ) પારસ ભેરાભાઈ ચૌધરી(ઉ.વ.(ધાખા) સોનલબેન ભાયચંદભાઈ પોપટજી કોળી (ઉ.વ. ૮) અને ડાયીબેન રમેશભાઈ રબારી ઉ.વ.૩૦ (લેલાવા) હાલ ડીસા સારવાર હેઠળ છે. જ્યારે બે પાલનપુર સીવીલમાં છે.ગઈ કાલ સુધી કુલ પ૦ કેશ નોંધાયા હતા.જે પૈકી ર૮ દર્દીઓને સારવાર બાદ રજા અપાઈ હતી. બાકીના ૧પ પાલનપુર સીવીલમાં તથા એક ડીસા સીવીલમાં સારવાર હેઠળ છે.
આ બીમારી મોટા ભાગે બાળકોમાં હોય છે. પરંતુ હવે મોટી ઉંમરના લોકોમાં પણ ડીપ્થેરીયાના લક્ષણો જાવા મળતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું હતું. અને ઝુંબેશ વધુ ઝડપી બનાવી હતી. ડો.પી.એમ.ચૌધરી બ્લોક હેલ્થ ઓફીસરે જણાવ્યું કે આ મોટી ઉંમર નો કેશ આવતા ં ઉચ્ચ લેવલે જાણ કરી છે. અને આ વિસ્તારમાં વેકસીનની રસી ચાલુ કરાઈ છે.