પેપ્સીકો કંપનીએ ગુજરાતના નવ ખેડૂતો ઉપર બટાટાની પેટર્ન મામલે કરોડો રૂપિયાનો દાવો કરતા સમગ્ર રાજ્યમાં ખેડૂતોમાં ભારે રોષ સાથે વિવાદ સર્જાયો છે.જેની સામે ખેડૂતો કોર્ટનો આશરો લીધો હતો. જોકે, વિવાદ વધતા પેપ્સીકો કંપનીએ બનાસકાંઠા જીલ્લાના બે ખેડૂતો સહીત નવ ખેડૂતો પરનો પોતાનો દાવો પરત ખેંચ્યો છે.
બટાટાની ચિપ્સ સહિતની પ્રોડક્ટ બનાવતી પેપ્સીકો કંપનીએ ગુજરાતના કેટલાક ખેડૂતો પેપ્સીકો કંપનીની પેટર્નનો ઉપયોગ કરી બટાટાનું વેચાણ કરી કરોડો રૂપિયા કમાઈને કંપનીને નુકશાન કર્યું હોવાના આક્ષેપ સાથે બનાસકાંઠા જીલ્લાના ડીસાના બે ખેડૂતો સહીત રાજ્યના નવ ખેડૂતો પર કરોડો રૂપિયાનો દાવો કર્યો હતો.જેના પગલે રાજ્યભરના ખેડૂતોમાં કંપની સામે ભારે રોષ વ્યાપી ગયો હતો અને આ બાબતને લઇ વિવાદ છંછેડાયો હતો.જેમાં રજુઆતોનર ધ્યાને લઇ રાજ્ય સરકારે ખેડૂતોની વ્હારે આવવાની ખાતરી આપી હતી.કંપનીના દાવા સામે ખેડૂતોએ કોર્ટનો સહારો લીધો હતો. જેની આજે કોર્ટમાં સુનાવણી હતી. આખરે પેપ્સીકો કંપનીએ તમામ નવ ખેડૂતો પરનો દાવો પરત ખેંચવાની જાહેરાત કરતા ખેડૂતોમાં ખુશાલી છવાઈ છે.જેમાં કંપનીએ બનાસકાંઠા જીલ્લાના ડીસાના સુરેશ કચ્છવા અને ફૂલચંદ કચ્છવા સામેનો રૂ.૨૦-૨૦ લાખનો દાવો પરત ખેંચ્યો છે.