બનાસકાંઠા જિલ્લાની ધાનેરા તાલુકા પાંચયત કચેરીને આજે તાલુકાના સરપંચ તેમજ સદસ્યો દવારા તાળું મારી વિરોધ કરાયો હતો. જો કે તાલુકા વિકાસ અધિકારી દવારા સમજાવટ કરતા આખરે તાલુકા પંચાયત કચેરીના તાળા ખુલ્યા હતા.
ગત ગુરૂવારની મોડી રાત્રે ધાનેરા તાલુકા વિકાસ અધિકારી મોસનસિંહ રાવ પર સામરવાડા ગામના તત્કાલીન તલાટી જગદીશ બારોટ તેમજ અન્ય ત્રણ શકશો દવારા તેમના ઘર સુધી પહોંચી ધાકધમકી તેમજ લૂંટ થઈ હોવાની ફરિયાદ તાલુકા વિકાસ અધિકારી દવારા કરાઈ હતી.જેથી આ મામલે યોગ્ય તપાસ થાય તેમજ આરોપી ની અટકાયત થાય તે માટે આજે ધાનેરા તાલુકા પાંચયત કચેરી પર તાલુકા ના સદસ્યો તેમજ સરપંચો દવારા કચેરી ને તાળું માર્યું હતું.અને કચેરી ની આગલ બેસી આરોપી ની અટકાયત મામલે વિરોધ કર્યો હતો. જો કે આ બાબત ની જાણ તાલુકા વિકાસ અધિકારી ને થતા તાલુકવિકાસ અધિકારી દવારા સરપંચ તેમજ સદસ્યો સાથે વાત કરતા આખરે તાલુકા પંચાયત કચેરીના તાળા ખુલ્યા હતા.
આગામી ગુરૂવારના દિવશે ગ્રીબકલ્યાણ મેલાનું આયોજન છે આવા સમય તાલુકા પંચાયત કચેરીને તાળા લાગતા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા છે.
ધાનેરા પ્રાંત કચરી પર પહોંચી સરપંચો તેમજ સદસ્યો દવારા કસૂરવાર સામે પગલા ભરાય તે માટે આવેદન પત્ર આપ્યું હતું સાથે પોલિશ દવારા આવા ઉચ્ચ અધિકારી ની ફરિયાદ પણ મોડી લેવાતા આમ નાગરિકો નું સુ આ બાબતે પણ પોલિશ પર સવાલો ઉભા કરી ન્યાય ની માગણી કરી હતી.