બનાસકાંઠા જિલ્લા પંચાયતના કર્મચારીએ અધિકારીના ત્રાસથી ઝેરી પ્રવાહી ગટગટાવતા ચકચાર મચી જવા પામી હતી. જિલ્લા પંચાયતની
હિસાબી શાખાના કર્મચારી લલીત રાવલે અધિકારી ચેતન પટેલના ત્રાસથી ઝેર ગટગટાવ્યુ હોવાનો આક્ષેપ કર્યો હતો. જેને તાત્કાલિક
સારવાર માટે અમદાવાદ લઇ જતા રસ્તામાં તેનું નિપજ્યુ મોત હતું. પરિવારજનો એ અધિકારીએ લાફો મારતા ઝેર પીધું હોવાના કર્યા આક્ષેપ કરતાં ચચાર મચી જવા પામી હતી. બાદમાં દોડી આવેલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.