સરકાર ખેડૂતોના લોહીની તરસી છે તેવા નિવેદન સાથે 150 જેટલા ખેડૂતો પોતાનું લોહી ગુજરાતના મુખ્યમંત્રીને મોકલશે

બોટાદના ભદ્રાવડી ગામે હાર્દિક પટેલના સ્વાસ્થ્ય માટે શિવયજ્ઞનું આયોજન કરાયું છે. શિવયજ્ઞમાં ગામના અલગ અલગ સમાજના લોકો જોડાયા હતા અને 150 જેટલા ખેડૂતો દ્વારા પોતાનું લોહી કાઢી સરકારને મોકલશે. કારણ કે સરકાર ખેડૂતોના લોહીની તરસી છે તેવું નિવેદન આપવામાં આવ્યું છે.
 
હાર્દિક પટેલ દ્વારા ખેડૂતોના દેવા માફી તેમજ અનામત મળે તેવી માગ સાથે છેલ્લા 14 દિવસથી ઉપવાસ શરુ કર્યા છે.ત્યારે 14 દિવસથી ઉપવાસ પર બેસેલા હાર્દિક પટેલની તબિયત દિવસેને દિવસે લથડી રહી છે.ત્યારે આજે હાર્દિક પટેલનું સ્વાસ્થ્ય નીરોગી અને તંદુરસ્ત રહે તેમજ સરકાર સામે લડી શકે અને સરકારને સદબુદ્ધિ મળે તેને લઈ બોટાદના ભદ્રાવડી ગામે આજે ગામના અલગ અલગ સમાજના લોકો દ્વારા શિવ મદિરે શિવયજ્ઞનું આયોજન કરાયું હતું.
 
જેમાં ગામના અલગ અલગ સમાજના લોકો યજ્ઞમાં જોડાયા હતા. તેમજ જય સરદાર જય પાટીદારના નારા લગાવામાં આવ્યા હતા. શિવયજ્ઞમાં મહિલાઓ સહિત ગામ લોકો મોટી સખ્યામાં જોડાયા હતા . હાર્દિક પટેલ દ્વારા ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તેવી માગ સાથે જયારે 14 દિવસથી ઉપવાસ પર બેસેલ છે.
 
ત્યારે આજે ભદ્રાવડી ગામે ખેડૂતો દ્વારા સરકાર જાગે અને ખેડૂતો સામે જોવે તેવા હેતુ સાથે એક અનોખું આયોજન કરાયું હતું.જેમાં ગામના 150 જેટલા ખેડૂતો દ્વારા પોતાના શરીરમાંથી લોહી કાઢવામાં આવ્યું હતું અને તે લોહી ગુજરાતના મુખ્યમંત્રીને મોકલવામાં આવશે અને જો સરકારને ખેડૂતોનું લોહી જ પીવું હોય તો આ લોહી પી લે અને જો ઘટે તો બીજું પણ મોકલવા આવશે તેમ ગામ લોકોએ જણાવ્યું હતુ.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.