ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના ગુજરાત હેડ અચલભાઈ શાહના અમદાવાદના પ્રહલાદનગરના ઈશાન ટાવર સ્થિત ફલેટમાં ગઈકાલે સવારે શોર્ટસર્કિટના કારણે ભારે આગ ફાટી નીકળી હતી. જેમાં અચલભાઈ અને તેમના ધર્મપત્ની પ્રેમીલાબેનનું ઘરમાં જ કરૂણ અવસાન થયું હતુ. જયારે અચલભાઈના માતુશ્રી સ્નેહલતાબેન અને બન્ને દીકરીઓ ઈશીતા અને આરૂહી શેલ્બી હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. અચલભાઈ છેલ્લા ૨૫ વર્ષથી વધુ સમયથી ટાઈમ્સ ગ્રુપ સાથે જોડાયેલ હતા. અચલભાઈ કોલેજ કાળ દરમિયાન ખુબ જ સારા ક્રિકેટર રહ્યા હતા. તેમણે ડ્રીસ્ટ્રીકટ લેવલ સુધીની ટુર્નામેન્ટમાં કોલેજ તરફથી ભાગ લીધો હતો. પિતાના પગલે બન્ને પુત્રીઓ પણ રાજય કક્ષાએ બેડમીન્ટનમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી ચુકી છે.