થરાદ તાલુકાના વેદલા ગામના પ્રજાપતિ અણદાભાઇ ઉર્ફે અરવિંદભાઇ નામના ખેડુતના ખેતરનો રસ્તો પડોશી ચોથાભાઇ રબારીના ખેતરમાંથી જતો હતો. જોકે કોઇકારણોસર ચોથાભાઇ રબારી એ રસ્તો બંધ કરી નાંખતાં વાદીએ થરાદના મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેની કોર્ટમાં દાવો દાખલ કરી દાદ માંગી હતી.આથી મામલતદારે મંગળવારે પોલીસ બંદોબસ્ત સાથે રસ્તો ખુલ્લો કરાવવાનો હુકમ કર્યો હતો.
પરિણામે પી.એસ.આઇ. ડી.એન.શર્મા તથા પોલીસ કર્મચારીઓ રવજીભાઇ ભટ્ટ અને પ્રભુભાઇ રાજપુત અને બે મહીલા કર્મચારીઓ સાથે થરાદના સર્કલ સુરેન્દ્રસિંહ રાજપુત અને તલાટીકમમંત્રી રમેશભાઇ પટેલ સાથે રસ્તો ખુલ્લો કરાવવામાં આવ્યો હતો. જેમની ઉપસ્થિતીમાં રસ્તાના માર્ગે થોરની વાડ પણ કરવામાં આવી હતી.