સી.આઈ.ડી.ક્રાઇમે રિમાન્ડ માટે પાલનપુર સબ જેલમાંથી સંજીવ ભટ્ટનો કબ્જો લીધો
પાલનપુર
બનાસકાંઠાના તત્કાલિન એસ.પી. સંજીવ ભટ્ટ ના બોગસ કેસમાં ૧૦ દિવસના રિમાન્ડ મંજુર થતા સી.આઈ.ડી.ક્રાઇમે તેમનો પાલનપુર સબજેલમાંથી કબ્જો મેળવ્યો હતો.
બોગસ કેસમાં ક્રાઈમ દ્વારા પૂર્વ સંજીવ ભટ્ટની ધરપકડ કરાઈ હતી. જેઓનો રિમાન્ડ પાલનપુર કોર્ટે ના-મંજુર કર્યા હતા. જેને પગલે હાઈકોર્ટેમાં રિમાન્ડ માટે અપીલ કરાઈ હતી. જેમાં હાઈકોર્ટે પૂર્વ ૈંઁજી સંજીવ ભટ્ટ અને ૈઁં ઇન્દ્રવદન વ્યાસ ના ૧૦ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. ત્યારે પાલનપુર જિલ્લા જેલમાંથી ઝ્રૈંડ્ઢ ક્રાઈમએ બન્ને આરોપીઓનો કબ્જો મેળવ્યો હતો. ક્રાઈમ ની ટીમ બન્ને આરોપીઓને રિમાન્ડ અર્થે પાલનપુર થી ગાંધીનગર ખાતે લઈ જવા રવાના થઇ હતી.