અમીરગઢ ખાતે કુટુંબ નિયોજનના ઓપરેશન વખતે મહિલાનું કરૂણ મોત નીપજતાં ચકચાર

 
 
 
                બનાસકાંઠાના અમીરગઢ ખાતેની રેફરલ હોસ્પિટલમાં કુટુંબ નિયોજનના ઓપરેશન દરમ્યાન આદિવાસી મહિલાનું મોત નિપજતાં ખળભળાટ મચી ગયો છે.આ ઘટનાથી વિફરેલા મૃતક મહિલાના સાસરિયાંઓએ તબીબ પર બેદરકારીનો આક્ષેપ કરી મહિલાની લાશ ઉઠાવવાનો ઇન્કાર કરી દેતાં આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે.
વસ્તી વધારા પર નિયંત્રણ મેળવવા ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ વિભાગ દ્વારા કુટુંબ નિયોજનના ઓપરેશન કરાવવા મહિલાઓને પ્રોત્સાહિત કરતી યોજનાઓ અમલી બનાવાઈ છે.આ યોજના અંતર્ગત બનાસકાંઠાના છેવાડાના તાલુકા મથક અમીરગઢ ખાતેના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દર મહિને ઓપરેશન કેમ્પ યોજી મહિલાઓ પર કુટુંબ નિયોજનની શસ્ત્રક્રિયા કરાય છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.