કસ્ટમ રોડ પર આવેલા વાવ તાલુકાના રાછેણા ગામે ગામથી અંદાજે દોઢ કિ.મી દૂર નવીન ગોગ મહારાજનું મંદિર બનાવવામાં આવ્યું છે. જે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ રાછેણા ગ્રામજનો દ્વારા વિવિધ કાર્યક્રમો રાખવામાં આવેલ છે. જેના ભાગરૂપે ગત તા.૯/પ/ર૦૧૯ ના રોજ યજ્ઞ તેમજ તા.૧૦/પ/૧૯ ના રોજ શોભાયાત્રા યોજાઈ હતી. શોભાયાત્રાએ ગામના વિવિધ વિસ્તારોમાં પ્રદક્ષિણા કરી હતી. ઠેર ઠેર શોભાયાત્રાનું સામૈયું અને સ્વાગત કરાયું હતું. આજરોજ તા.૧૧/પ/૧૯ ના રોજ શુભ મુહુર્તમાં ગોગ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. આ ત્રિદિવસીય કાર્યક્રમમાં ભકિત - શકિત - ઉમંગનો ત્રિવેણી સંગમ જાવા મળ્યો છે. રાછેણા ગ્રામજનો તરફથી કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું હતું. જે પ્રસંગે ગ્રામજનો તરફથી પુરતો સાથ અને સહકાર મળ્યો હતો.