ડીસા નગરના રઘુવંશી લોહાણા સમાજના આગેવાન જીવરાજભાઈ ભીમજીભાઈ પોપટના પુત્ર ભરતભાઈનું ગત તા. ૨૬/૭/૨૦૧૯ ની રાત્રે રાજસ્થાનના બાડમેર રોડ ઉપર આવેલ સીમધરી નજીક માર્ગ અકસ્માતમાં કરૂણ મોત નીપજ્યું હતું જે સમાચાર વાયુવેગે પ્રસરી ઉઠતા ખાસ કરીને રઘુવંશી સમાજે આઘાતનો આંચકો અનુભવ્યો હતો. આશાસ્પદ યુવાન ભરતભાઈ ( લાલભાઈ) હસમુખા અને મળતાવડા સ્વભાવને લઈ બહોળું મિત્ર વર્તુળ ધરાવતા હતા તેમના અકાળે મોતને લઈ શોકની લાગણી છવાઈ હતી જ્યારે પરિવાર હતપ્રભ બની ગયો હતો સ્વ.ની ગઈકાલે ડીસા સ્થિત નિવાસસ્થાનેથી નીકળેલી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં સ્નેહી સ્વજનો, આગેવાનો અને મિત્રોએ જોડાઈ નત મસ્કતે અંજલિ અર્પી હતી.