પાલનપુર પડતર માંગણીઓને લઈને રાજ્યભરના એસ.ટી વિભાગના કર્મચારીઓ માસ સી.એલ પર ઉતર્યા છે ત્યારે પાલનપુર એસ.ટી વિભાગના ત્રણ યુનિયનોના અંદાજે ૩૩૦૦ જેટલા કર્મચારીઓ પણ માસ સી.એલ પર ઉતરતા બસના પૈડાં થંભી ગયા હતા.
પાલનપુર એસ.ટી. વિભાગના ત્રણેય યુનિયનોના કર્મચારીઓ પણ રાજ્યવ્યાપી હડતાળમાં જોડાયા છે. પાલનપુર એસ.ટી. વિભાગના ૩૨૦૦ થી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાતા ૫૮૨ એસ.ટી બસોના રૂટોના પૈડાં થંભી ગયા હતા. ૫૮૨ ટ્રીપો બંધ રહેતા ૨,૬૨,૦૦ કિ.મીનું સંચાલન ખોરવાઈ ગયું હતું અને પાલનપુર એસ.ટી વિભાગને અંદાજે રૂ. ૪૦ લાખનું નુકસાન થયું છે. પાલનપુર એસ.ટી વિભાગના ત્રણેય યુનિયનોના કર્મચારીઓ દ્વારા અગાઉ ધરણાં, રેલી સહિતના કાર્યક્રમો આપવા છતાં બહેરી સરકારના કાને કર્મચારીઓનો અવાજ ન પહોંચતા કર્મચારીઓએ હડતાળનો માર્ગ અપનાવ્યો હતો અને લડાયક મૂડમાં આવેલા કર્મચારીઓ હવે
જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડી લેવાની તૈયારીમાં છે. આમ, એસ.ટી.કર્મીઓ અને સરકાર આમને સામને આવી જતા મુસાફરોની હાલત કફોડી બની છે. એસ.ટી.સેવા બંધ રહેતા વિધાર્થીઓ, નોકરિયાતો સહિત મુસાફર જનતાને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.