અમદાવાદમાં દિગંબર જૈન સમાજ દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી

 અમદાવાદમાં દિગંબર જૈન સમાજ દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી
 
અમદાવાદ 
અમદાવાદમાં પહેલા ના બની હોય તેવી અનોખી ઘટનામાં ૧૧ ગ્રામ સોનાની એક એવી બે રાખડી અને એક ચાંદીની રાખડી મહારાજ સાહેબની પિચ્છને ગુરુભક્તોએ ઉત્સાહપૂર્વક બાંધી ૨૪ કેરેટના ૮ ગ્રામ સોનાના સિક્કા અને ૩ ગ્રામની સોનાની ચેઇનનો ઉપયોગ રાખડીમાં થયો અમદાવાદ – રક્ષાબંધન પર્વ નિમિત્તે અમદાવાદમાં દિગંબર સમાજ દ્વારા ક્યારેય ના થઇ હોય તેવી રીતે રક્ષાબંધનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભારત ગૌરવ, યુવા તપસ્વી સમ્રાટ,ગુજરાત રત્ન કેસરી અંતર્મના મુનિશ્રી પ્રસન્ન સાગરજી મહારાજ સાહેબની પિચ્છને ૧૧ ગ્રામ સોનાની રાખડી બાંધીને ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવાયો હતો.
અંતર્મના મુનિશ્રી પ્રસન્નસાગરજી મહારાજ ચાતુર્માસ સમિતિ અમદાવાદ દ્વારા મીઠાખળી છ રસ્તા પાસે આવેલા સરદાર પટેલ સેવા સમાજના પટ્ટાંગણમાં ભારત ગૌરવ,યુવા તપસ્વી સમ્રાટ, ગુજરાત રત્ન કેસરી, અંતર્મના મુનિશ્રી પ્રસન્નસાગરજી મહારાજ અને સૌમ્યમૂર્તિ પિયુષસાગરજી મહારાજ સાહબેની નિશ્રામાં ભગવાન  શ્રેયાંસનાથ નિર્વાણ કલ્યાણક મહોત્સવ, વાત્સલ્ય પૂર્ણિમા અને રક્ષાબંધન પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં          આવી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.