અંબાજી મંદિરમાં મા જગત જનનીની આરતીનું લાઈવ દર્શન થઈ શકશે

ગુજરાત
ગુજરાત

જગત જનની માં અંબાનું મંદિર કોરોના વાઇરસની દહેશતના પગલે ભક્તોના દર્શન માટે બંધ કરવામાં આવ્યું છે.ત્યારે આજથી શરૂ થતા ચૈત્રી નવરાત્રી ના પર્વને લઇ દેશ-વિદેશના કરોડો માઇભકતો માટે શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ઈતિહાસમાં પહેલીવાર ઘટ સ્થાપન અને માતાજીની આરતી લાઇવ નિહાળી શકાશે. ચૈત્રી નવરાત્રીનો આજથી આરંભ થઇ રહ્યો છે. આજે અંબાજી મંદિર ના ગર્ભગૃહ મા ભક્તો જે રેલિંગ પાસે ઉભા રહે છે ત્યાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટસ્થાપન કરવામાં આવશે. જોકે ઘટ સ્થાપનની આ કામગીરી દરમિયાન ભક્તોને પ્રવેશ આપવામાં નહીં આવે.ચૈત્રી નવરાત્રિમાં અને મા અંબાના દર્શન વગર અનુષ્ઠાન અધૂરા રહેતા હોય છે. અનુષ્ઠાન કરનાર ભાવિક ભક્તો અંબાજી મંદિરમાં થતી ભક્તિ ભાવપૂર્વક ગવાતી મા અંબાની આરતીનો જીવંત નજારો માણી શકશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.