(ભીલડી)
ભીલડી માર્કેટયાર્ડમાં પેઢી ધરાવતા મનુભાઈ દામોદરદાસ દવે પાસેથી રાજકોટ જિલ્લાના જેતપુરના વેપારી પ્રવિણભાઈ વીરજીભાઈ સોજીત્રાએ તા.૧પ/૧૦/ર૦૧૮ ના રોજ રૂ.૭,૪૬,૬૪૪ ની મગફળી મંગાવી હતી અને તેના રૂપિયા ચુકવી તેમનો વિશ્વાસ કેળવ્યો હતો. એ પછી તેમણે તા.૧ર/૧૦/ર૦૧૮ થી ૧પ/૧૧/ર૦૧૮ સુધીમાં સાતગાડી મગફળી (કિંમત રૂ.૪૯,ર૦,૯૧૭) મંગાવેલ જે પેટે તેમણે તા.રપ/૧૦/ર૦૧૮ થી તા.૧૭/૧૧/ર૦૧૮ સુધીમાં રૂ.૩૦,૬૧,ર૬ર ચુકવેલ પરંતુ બાકીના રૂ.૧૮,પ૯,૭૩પ ચુકવતા ન હતા. વારંવાર ઉપ્ઘરાણી કરવા છતાં રૂપિયા ન આપતા કંટાળીને તેમણે વેપારી વિરૂધ્ધ છેતરપીંડીની ફરીયાદ નોંધાવી હતી. જેથી પોલીસે તપાસ હાથ ધરી છે.