કાંકરેજ તાલુકાના ચેખલા ગામમા આવેલા જોગણી માતાજીના મંદિરમાં મધ્યરાત્રીના સમએ કોઇ અજાણ્યા ઇસમો દ્વારા કોયની બીક ના હોય તે રીતે મંદિરમાં બિન્દાસ રીતે ચોરી કરી હતી. ત્યારે અંદાજે ચાર જેટલા ચોર હોવાનું જાણવા મળ્યુ હતુ અને ચોરી કરતા સી.સી.ટીવી કેમેરામાં આ ચોર ટુકડી કેદ થય હતી જેનો વિડીઓ પણ વાઈરલ થયો છે. ત્યારે અંદાજે ૩૫ હજાર જેટલા મુદામાલની ચોરી કરી હોવાનું ગામ લોકો દ્રારા જાણવા મળ્યું હતું. ત્યારે આ તસ્કરો દ્વારા દાન પેટીને મંદિરના આગળના ભાગમાં આવેલા તળાવમાં ફેંકીને ફરાર થઈ ગયા હતા. તો બીજી બાજુ આ મંદિરે ત્રીજી વાર ચોરીનો બનાવ બનતા ગામલોકોમા પણ ભારે આક્રોશ જોવા મળ્યો હતા અને ગામ લોકોએ આ મંદિરના સી.સી.ટી.વી ફુટેજ સાથે શિહોરી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી હતી. ત્યારે શિહોરી પોલીસે પણ આ ચોરોને પકઙવા માટે તજવીજ હાથ ધરી છે.