થરાદ
થરાદ માર્કેટયાર્ડમાં આવેલી મહાલક્ષ્મી ટ્રેડીંગ કંપની નામની વેપારી પેઢીમાં ત્રણેક મહિનાથી નિલેશભાઇ ધર્માભાઇ ચૌધરી રહે.વળાદર તા.થરાદ મહેતા તરીકે નોકરી પર રહેલ હતો.જેણે અગમ્ય કારણસર પેઢીના ત્રીજા માળેથી નીચે ઝંપલાવતાં ગંભીર ઇજાગ્રસ્ત બન્યો હતો.જે ને મંગળવારની વહેલી સવારના આશરે સવા છ વાગ્યાના સુમારે પુજા કરવા આવેલા માર્કેટના હનુમાનમંદીરના પુજારી ભેરાભાઇ અરજણભાઇ પુરોહિતે જોતાં પેઢીના માલિક નરેશપુરીને જાણ કરીને ૧૦૮માં તાબડતોબ સારવાર અર્થે શહેરની જેજે પટેલ હોસ્પીટલમાં ખસેડાયો હતો.જ્યાં સારવાર દરમ્યાન નિલેષભાઇનું કરૂણ અને કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બનાવના પગલે પેઢીના માલિક નરેશપૂરી ગોસ્વામી અને ભગવાનભાઇ જોષી દોડી આવતાં નિલેષભાઇના પરિવારને જાણ કરાતાં દોડી આવેલા સભ્યો અને માલિકોએ તપાસ કરતાં દુકાન અંદરથી બંધ હોઇ બાજુની દુકાનમાં જઇને ખોલતાં સીસી ટીવી કેમેરાનો વાયર પણ તુટેલ હતો.અને મહેતાના રૂમમાં એક તપેલીમાં વાદળી કલરની દવા પડેલી તેમજ ઉલ્ટીઓ પણ થયેલ હતી.