આજે સવારે સુરતમાં ફાયર ટ્રેનરે ટ્રેન નીચે કૂદી આપઘાત કર્યો હતો. આપઘાત કરનાર ફાયર ટ્રેનરે લખેલી સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં તેણે મરજીથી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. જોકે, આપઘાત પાછળ અનેક વાતો સામે આવી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, આજે સવારે ભેસ્તાન ફાયર સ્ટેશનના ફાયર ટ્રેનરે પાંડેસરા-ડિંડોલી રેલ વે ટ્રેક પર ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. આ ફાયર ટ્રેનર મૂળ પોરબંદરના રહેવાસી ભરત કોળીયાર ફાયર ટ્રેનર તરીકે ફરજ બજાવતો હતો, અને ત્યાં જ રહેતો હતો.
આજે વહેલી સવારે પાંડેસરા-ડિંડોલી રેલવે ટ્રેકને જોડતા બ્રિજ પરથી ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. જેથી તેના શરીરના ત્રણથી ચાર ટુકડા થઈ ગયા હતા. અને ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા ફાયર અધિકારી, રેલવે પોલીસ અને પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.