પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધરણાં

રખેવાળ ન્યુઝ પાલનપુર 
બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પડતર પ્રશ્નોના મુદ્દે શનિવારે પાલનપુર ખાતે ધરણાં કર્યા હતા. અને જો માંગણીઓ નહી સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.
બનાસકાંઠા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પાલનપુરમાં શનિવારે તેમના પડતર પ્રશ્નોના મુદ્દે ધરણાં યોજ્યા હતા. આ કાર્યક્રમમાં પાલનપુર, અમીરગઢ, દાંતા સહિત તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષકોએ આક્રોશ પૂર્વક જણાવ્યું હતુ કે, અમારા સાત પડતર પ્રશ્નો અંગે અગાઉ અનેક વખત રજૂઆતો કરી છે. પરંતુ તેમના દ્વારા કોઇ ઉકેલ લાવવામાં આવતો નથી. પરિણામે શિક્ષકોને ભારે અન્યાય થઇ રહ્યો છે. જો આ અંગે ટુંક સમયમાં નિર્ણય લેવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.