થરાદ : થરાદ પેટાચુંટણી નિમિત્તે કમાલી મુકામે ગુજરાત સરકારના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા કીર્તિસિંહ વાઘેલાએ કાર્યકર્તાઓની મુલાકાત લીધી હતી. તથા થરાદ વિધાનસભાની ચૂંટણીની આગામી તૈયારી માટે આયોજન નિમિત્તે મુલાકાત તથા થરાદ તાલુકાનું શિક્ષણનું સ્તર કેવી વધુ સારૂં થઈ શકે તે માટેનું માર્ગદર્શન આપ્યું હતું. તેમજ થરાદની ગાયત્રી વિધાલય ખાતે બનાસકાંઠા જીલ્લાનુ સ્વામી વિવેકાનદ યુવા સંમેલન યોજાયું હતું. જેમાં થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીમાં દરેક યુવાના ેએ થરાદ વિધાન સભાની પેટા ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજય બનાવવાનો વિશ્વાસ આપ્યો હતો અને સંકલ્પ પણ કર્યો હતો. તદુપરાંત થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મેઢાળા ગામે ભાજપ પ્રમુખ રુપસીભાઇ પટેલ, પુર્વ પ્રમુખ ઓમજી દરબાર, કરણસિંહ દરબાર, અનાજી ઠાકોર, ઇશ્વરભાઇ પટેલ અને બહોળી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગામ તરફથી ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજય બનાવવાની અપીલ કરી હતી. શનિવારની રાતે થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીની સભામા મલુપુર ગામે સાંસદ પરબત ભાઇ પટેલને બહોળી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહીને ગામ તરફથી ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજય બનાવવાનો વિશ્વાસ આપ્યો હતો. થરાદના છનાસરા, કમાલી, લખાપુરા, ઘંટીયાળી, જમડા, લેડાઉ, ચુડમેર, ચારડા, ભલાસરા, દિદરડા, ભીમપુરામાં ભાજપના અગ્રણીઓ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દાંનાભાઇ માળી, ધવલભાઇ, ખાનાભાઇ પટેલ, મદનલાલ પટેલ, ગોવાભાઇ પટેલ, મેવાભાઇ ખટાણા, અભેરામભાઇ રાજગોર, ઇશ્વરભાઇ પટેલ અને બહોળી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિતમાં ગામના યુવાનો કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. પ્રવાસ દરમ્યાન ગણેશપુરા ગામેના યુવાનો દ્વારા સ્વાગત માટે બાઇક રેલીનું આયોજન કર્યુ હતું.