અમીરગઢ હાઇવે ઉપર વીર મહારાજના મંદિર અને આરટીઑ ઓફિસ વચ્ચે આજે સવારે માછલી ભરીને રાજસ્થાન તરફ જતાં પિકઅપ વાન નં. આરજે.29.જીએ.0303 એકાએક પલટી ખાઈ જતાં અંદર થરમૉકૉલના બોક્સમાં ભરેલ માછલીઓ રોડ ઉપર વેરાઈ હતી. આ બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા. જોકે,સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.