નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીમાં શાનદાર જીત મેળવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહે પાર્ટી ઓફિસ ઉપર ઐતિહાસિક સંબોધન કર્યું હતું. એકબાજુ મોદીએ દેશના લોકોને કેટલીક ખાતરી આપી હતી જેમાં મોદીએ કહ્યું હતું કે, બદઇરાદા સાથે કોઇપણ કામ કરશે નહીં. સાથે સાથે પોતાના માટે કોઇપણ કામ કરશે નહીં. સાથે સાથે તેમનો સમય સંપૂર્ણપણે સામાન્ય લોકો માટે સમર્પિત રહેશે. લોકોને પરેશાની થાય તેવા પણ કોઇ કામ કરશે નહીં. ૪૦ મિનિટના ભાષણમાં મોદીએ સાફ શબ્દોમાં પોતાનું સંબોધન કર્યું હતું. સાથે સાથે ગરીબીને દૂર કરવાની પણ વાત કરી હતી. મોદીએ કહ્યું હતું કે, ચૂંટણી પ્રચાર દરમિયાન મોંઘવારી, ભ્રષ્ટાચાર, બનાવટી ધર્મનિરપેક્ષા જેવા મુદ્દા ઉઠ્યા ન હતા. લોકસભા ચૂંટણી ૨૦૧૯ના પરિણામોના સ્પષ્ટ રુઝાન આવી ગયા પછી વડાપ્રધાન મોદી બીજેપી કાર્યાલય પહોંચી ગયા છે. અહીં બીજેપી અધ્યક્ષ અમિત શાહે તેમનું સ્વાગત કર્યું હતું. અહીં વડાપ્રધાન મોદીએ લોકોનું અભિવાદન કર્યું હતું. ગૃહમંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને શિવરાજ સિંહ ચૌહાણ પણ બીજેપી કાર્યાલય હાજર રહ્યા હતા. બીજેપી કાર્યાલય પર હજારો કાર્યકર્તાઓ પણ પહોંચી ગયા છે. અહીં અમિત શાહે કાર્યકરોને સંબોધન કર્યા પછી વડાપ્રધાન મોદીએ પણ કાર્યકરોને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ૨૦૧૯ લોકસભાનો જનાદેશ નવા ભારતનો જનાદેશ છે.