ભારતના ચૂંટણી પંચે ગત રવિવારે લોકસભાની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દીધા બાદ આચારસંહિતા અમલી બની ગઈ છે અને વહીવટી તંત્ર પણ ચૂંટણીલક્ષી તૈયારીઓમાં પરોવાઈ ગયું છે. ભારતના ચુંટણી પંચે લોકસભાની આગામી સામાન્ય ચુંટણીની તારીખો જાહેર કરી સમગ્ર દેશમાં સાત તબક્કામાં મતદાન યોજી લોકસભાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની જાહેરાત કરી દીધી છે.લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની બનાસકાંઠા સહિત તમામ ૨૬ બેઠકો માટે ત્રીજા તબક્કામાં આગામી ૨૩ મી એપ્રિલે એક જ દિવસે મતદાન પ્રક્રિયા હાથ ધરાનાર છે.