અરવલ્લી જીલ્લાની ગિરિમાળાઓ સતત આગ લાગવાની ઘટનાઓ બનતા રહસ્યમય આગે અનેક તર્ક-વિતર્ક ઉભા કર્યા છે સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં આવેલા ડુંગર અને જંગલમાં આગ લાગવાની ઘટનાઓમાં પર્યાવરણ સાથે માનવ વસાહત માટે ભયજનક બની રહી છે અરવલ્લી વન વિભાગ તંત્ર પાછળ સરકાર કરોડો રૂપિયા પગાર પેટે એંધાણ કરી રહી છે અને વૃક્ષઓ વાવવા અને વનસંપદાનું જતન કરવા વર્ષે દહાડે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહી છે તેમ છતાં અરવલ્લીની ગિરિમાળાઓ અને જંગલોમાં સતત લાગી રહેલી રહસ્યમય આગની ઘટનાઓએ અનેક શંકા કુશંકાઓ સર્જી છે.
અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના રૂઘનાથપુરા નજીક આવેલા જંગલો અને સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકાના ભટેલા ગામના જંગલમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા વનરાજી બાળીને ખાખ થઈ હતી વનવિભાગ તંત્ર જંગલમાં આગ લાગવાની ઘટનાના પગલે દોડી આવી આગ પર લોકોના સહયોગ થી કાબુ મેળવવા પ્રયત્નો હાથધર્યા હતા મોડાસા નગરપાલિકા ફાયરબ્રિગેડની ટીમે રૂઘનાથપુરાના જંગલમાં લાગેલી આગને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવી હતી.
અરવલ્લી-સાબરકાંઠા જીલ્લા વનવિભાગ તંત્ર અરવલ્લીની ગિરિમાળાઓ અને જંગલમાં લાગતી રહસ્યમય આગ નું કારણ શોધવામાં તદ્દન વામણું પુરવાર થતા વનવિભાગ તંત્ર નિષ્ફળ તંત્ર બની રહ્યું છે.