15 ઓગસ્ટ 2018 બુરહાનપુર જિલ્લામાં મોહદ વિસ્તારમાં સાડા ત્રણ વર્ષની બાળકીનું અપહરણ, રેપ અને હત્યા કરવાનો આરોપી વિજય ઉર્ફ પિંટ્યાને કોર્ટે ફાંસીની સજા આપી હતી. બાળકી પર રેપ કરીને અને તની હત્યા કરીને તે મહારાષ્ટ્ર ભાગી ગયો હતો. તે કામુક પ્રવૃતિમાં રત રહેતો હતો અને તંત્ર-મત્રનો પણ સહારો લેતો હતો. 18 ઓગસ્ટે તાંત્રિક તેમણે તાંત્રિક નર્મદા બૈરાગીને ફોન કરીને પોતાનો ગુનો કબૂલ્યો હતો. તેમણે તાંત્રિકને કહ્યું હતું કે ગામમાં ખરાબ ગામ થઇ ગયું છે. આ ખરાબ કામ મેં જ કર્યું છે. આરોપી ચોકલેટની લાલચ આપીને બાળકીને લઈ ગયો હતો. પોલીસને આરોપી પાસેથી 28 પાનાનાંની ડાયરી મળી છે. જેમાં લખ્યું હતું 'જય કામદેવ' આ ડાયરીમાં મહિલાને વશ કરવાના તંત્ર મંત્ર લખ્યાં હતા.
કોર્ટે નિર્ણય સંભળાવતાં આરોપી પર સખત શબ્દમાં ટીપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જે રીતે ગૈંગરિનના રોગનું એક અંગ ડોક્ટર તેના શરીરથી અલગ કરી દે છે. તેવી જ રીતે આવા વિકૃત માનસ ધરાવતાં લોકોને પણ સમાજના હિત માટે સમાજથી દૂર કરવા જરૂરી છે. તેથી તેને ફાંસીની સજા આપવામાં આવી છે.
વિકૃત માનસિકતા ધરાવતો વિજય અવારનવાર મહિલાઓ સાથે છેડતી કરતો હતો. આટલું જ નહીં, તે તેમની કામવાસનાને પુરી કરવા માટે પશુ પર પણ દુષ્કર્મ ગુજારતો હતો. કોર્ટમાં સાક્ષીઓના નિવેદન બાદ આ વાત સાબિત થઇ હતી.
2 લગ્ન કર્યાં, એકએ ડિવોર્સ લઇ લીધા, બીજી છોડીને જતી રહી
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી વિજયના 2 વખત લગ્ન થયા હતા. તેમની આ હરકતના કારણે પહેલી પત્નીએ ડિવોર્સ લઈ લીધા હતા તો બીજ પત્ની પણ તેને છોડીને જતી રહી હતી.
5 ઓગસ્ટ 2018માં ગ્રામ મોહદની ઘટના, બાળકીને આંગણામાંથી ઉઠાવીને લઈ ગયો હતો. બાદ તેના પર રેપ ગુજાર્યો હતો અને તેની હત્યા કરી નાખી હતી. બાળકીના ચહેરા પર નખના નિશાન હતા તેના પરથી આરોપીની ઓળખ થઇ.
- આરોપી તરફથી આ કેસ લડવા માટે કોઈપણ વકીલ તૈયાર ન હતા. બધા જ વકીલોએ કેસ લડવા માટે ઇન્કાર કર્યાં બાદ કોર્ટે ઉપલબ્ધ કરાવ્યો વકીલ.
બાળકીનો મૃતદેહ જે સમયે મળ્યો ત્યારે ખૂબ વરસાદ થઇ રહ્યો હતો. જેના કારણે પણ કેટલાક પુરાવાનો નાશ થઇ ગયો હતો. પુરાવા મેળવવામાં પોલીસને ખૂબ જ મહેનત કરવી પડી.જો કે ટીમે પુરાવા મેળવી અને કોર્ટમાં એ રીતે રજૂ કર્યાં કે આરોપીને સજા અને પીડિત પરિવારને ન્યાય મળી શક્યો. આ કેસ પરથી અપરાધીઓ માટે એ મસેજે છે કે જધન્ય અપરાધ કર્યાં બાદ આરોપી કાયદાથી બચી શકતો નથી.
-પંકજ શ્રીવાસ્તવ, એસપી બુરહાનપુર