ડીસા સહીત જિલ્લામાં ઘાસચારાની ભારે અછત

બનાસકાંઠા માં ગત વર્ષે નહિવત વરસાદ ના કારણે ઘાસચારાની અછત સર્જાઈ છે અને જિલ્લામાં કોઈજ ઘસચારી ના થતા અન્ય રાજ્યો માંથી ડબલ પૈસા ચૂકવીને ઘાસચારો ખરીદી ખેડૂતો પશુઓને જીવાડી રહ્યા છે.
બનાસકાંઠા માં ૨૦૧૭ માં ભારે પુર પ્રકોપના કારણે મોટાભાગની જમીનમાં ધોવાણ થઈ ગયું હતું અને ત્યાર બાદ ગત વર્ષે નહિવત વરસાદ થતાં જિલ્લામાં માં કોઈજ જગ્યાએ ઘાસચારો થયો નથી, જેથી ઘાસચારાની અછત સર્જાતા ખેડૂતો અને પશુપાલકોની હાલત કફોડી બની ગઈ છે એક તરફ ખેડૂતોને વિવિધ ઉત્પાદનો કોઈજ પોષણક્ષમ ભાવો નથી. મળતા જ્યારે બીજી તરફ પશુપાલન પર માંડ પરિવારનું ગુજરાન ચલાવે છે પરંતુ હવે પશુપાલન માટે પણ ઘાસચારાની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. બનાસકાંઠામાં સરકાર દ્વારા ૧૪ માંથી નવ તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરાયા છે. પરંતુ અન્ય વડગામ તાલુકામાં ઘાસચારાની અછત સર્જાઈ છે જેથી આ તાલુકાઓમાં પણ ખેડૂતોને રાહત આપવામાં આવે તેવી ખેડૂતો ઈચ્છી રહ્યા છે.
ઘાસચારાની અછત ના કારણે વેપારીઓ દ્વારા હો ઘાસના ડેપો ખોલવામાં આવ્યા છે. જે વેપારીઓ રાજસ્થાન, મહારાષ્ટ્ર,કે કાઠિયાવાડમાં થી ઘાસચારો લાવી રહ્યા છે પરંતુ મોંઘવારીના કારણે તે પણ નજીવા નફા એ ઘાસ ખેડૂતો ને વેચી રહ્યા છે જેમાં મગ નો ઘાસચારો ૬.૫૦ રૂપિયે કિલો, ચણા નું ઘાસ ૭.૫૦ રૂપિયે કિલો ઘાસ નું વિતરણ કરવામાં આવ્યું છે જે ગત વર્ષ કરતા ૩૦ ટકા મોંઘો  ઘાસચારો છે તેમ છતાં ખેડૂતો વધારે૪ પૈસા ચૂકવી તેમના પશુઓને નિભાવી રહ્યા છે  તેમજ અહમદભાઈ પરબડીયા, ઘાસચારાના વેપારીએ જણાવ્યું હતું.
ઘાસચારાની ડબલ કિંમત ચૂકવવા ના કારણે ખેડૂતો ની દૂધમાંથી થતી આવક ઘાસચારા માજ જતી રહે છે ત્યારે ખેડૂતો ના વિકાસ માટેની સૂફીયાણી વાતો કરતી સરકાર ખેડૂતો માટે નક્કર કાર્યવાહી કરવી જોઈએ. હાલમાં બનાસકાંઠા ઘાસચારા ની ભારે અછત ઉભી થઇ છે ત્યારે મોટાભાગે અન્ય રાજ્યોમાંથી ઘાસચારો આવી રહ્યો છે અને ખેડૂતો તેના બમણા પૈસા ચૂકવી અબોલ પશુઓ ને બચાવી રહ્યા છે.તેવામાં સરકાર ખેડૂતને કોઈ સહાય આપે તેવું પશુપાલકો ઈચ્છી રહ્યા છે.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.