રાજસ્થાનના દાંતા રામગઢ પાસે ઘાટવા રોડ પર વિહાર કરી રહેલ જૈન મુનિ વિશ્વનાથ સાગરજીને કોઈ અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા તેમને માથાના ભાગે ગંભીર ઈજા થઇ હતી. આથી તેમને સારવાર માટે જયપુર ખાતે લઇ જવાતા રસ્તામાં જ તેમનું અવસાન થયું હતું. જૈન મુનિ વિશ્વનાથ સાગરજી તેમના ભક્તજનો સાથે ગુરુવારે સાંજે દાંતા રામગઢથી જીજોટ ગામ તરફ વિહાર કરી રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહનચાલકે તેમને પાછળથી ટક્કર મારી હતી. આથી તેમને ગંભીર ઈજા થઇ હતી. આસપાસના લોકોએ તેમને દાંતા રામગઢ સીએચસીમાં લઇ ગયા બાદ વધુ સારવાર માટે જયપુર ખાતે લઇ જવાતા રસ્તામાં જ તેમનું અવસાન થયું હતું.ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો હોસ્પિટલ દોડી ગયા હતા.તેમના અવસાનથી જૈન સમાજમાં શોક વ્યાપી ગયો છે.અકસ્માત મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.