છેલ્લા કેટલાક સમયથી ભાભર તાલુકાના ખેતર વિસ્તારોને નર્મદાનું પાણી સિંચાઈ માટે ન મળતા ખેડુતોની ફરીયાદો ઉઠી હતી. ખેડુતોના હિતમાં ભાજપના પ્રદેશમંત્રી નૌકાબેન પ્રજાપતિ, જિલ્લા ભાજપ મહામંત્રી ઉમેદદાન ગઢવી, શહેર ભાજપના પ્રભાતસિંહ રાઠોડ સહિત મોટી સંખ્યામાં ખેડુતો સાથે ભાભર ડીસ્ટ્રીક કેનાલમાં પાણી ચાલુ કરવા માટે ગયા હતા અને માજી મંત્રી શંકરભાઈ ચોધરીને રજુઆત કરતા તેઓએ તેમના પ્રયત્નોથી નાયબ મુખ્યમંત્રી નીતિભાઈ પટેલને કહેતા તાત્કાલિક અસરથી નર્મદાના સચિવ અને અધિકારીઓને બોલાવી ભાભર ડિસ્ટ્રીકમાં પાણી પહોંચાડવા આદેશ કર્યો હતો. જેથી ભાભરની ડીસ્ટ્રીક કેનાલમાં નર્મદાનું પાણી આવતા ખેડુતોમાં આનંદની લાગણી જન્મી છે.