કાંકરેજના રાણકપુર ગામે બુધવારે સવારે પાણીની મોટર ચાલુ કરવા જતા એક ઇસમનું કરંટ લાગવાથી મોત નિપજયુ છે. મૃતકની લાશને પી.એમ. અર્થે થરા રેફરલ હોસ્પિટલ મોકલી અપાઇ છે.
કાંકરેજના રાણકપુર ગામે બુધવારે મનુભા તલસિંહ ઝાલા પાણીની મોટર ચાલુ કરવા ગયા ત્યારે અચાનક શોર્ટ લાગતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજતા પંથકમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. મૃતકની લાશને થરા રેફરલ હોસ્પિટલ ખાતે પી.એમ. અર્થે મોકલી દેવામાં આવી છે.