અનાજ પુરવઠો અને આરોગ્ય સુવિધામેં લઇ મુખ્યમંત્રી રૂપાણીએ સરપંચો સાથે ટેલીફોનીક વાતચીત કરી
0o5EiC9hAN8
બનાસકાંઠાના વડગામ સરપંચ પાસે પણ રજેરજની માહીતી મેળવી
ગાંધીનગર
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ની અનોખી સંવેદના કોરોના વાયરસ ને કારણે લોક ડાઉન ની હાલ ની સ્થિતિમાં છેક ગ્રામીણ સ્તરના નાગરિકો પ્રજા વર્ગો ને ગામમાં જ જીવન જરૂરી ચીજ વસ્તુઓ આવશ્યક સેવાઓ નિયમિત મળી રહે તેવા જનહિત અભિગમ થી ૧૦ જેટલા સરપંચો સાથે સીધી વાતચીત કરી ફીડ બેક મેળવ્યા હતા. વિજય ભાઈ અકિલા રૂપાણીએ મુખ્ય મંત્રી નિવાસ સ્થાને કાર્યરત કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેંટર ના જન સંવાદ કેન્દ્ર ના માધ્યમ થી રાજયના ૧૦ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તાર ના વડગામ ખોરસા ગઢકા ચંદાવાડા પરિયા ચિખલવાવ અકીલા સિમલી અને ટીમના ગામ ના સરપંચો ને તેમના ગામમાં લોકડાઉન ની હાલ ની સ્થિતિ માં રેશન ની દુકાનો પર પૂરતો અનાજ નો પુરવઠો છે કે નહિ..આરોગ્ય સેવાઓ યોગ્ય મળે છે કે કેમ..ગામમાં સફાઈ ની વ્યવસ્થા તેમજ દૂધ શાકભાજી કરિયાણું જેવી આવશ્યક ચીજ વસ્તુઓ નિયમિત મળે છે કે કેમ તે અંગે ઊંડાણ પૂર્વક વાતચીત કરી ફીડ બેંક મેળવ્યા હતા મુખ્ય મંત્રીએ આ સરપંચો ને તેમના ગામોમાં કોરોના વાયરસ સામે જન જાગૃતિ લોકો દાખવે સોશીયલ ડિસ્ટન્સ જાળવે ગામમાં ભેગા ના થાય અને દ્યરમાં જ રહી ને આ વાયરસ ના કનિદૈ લાકિઅ સંક્રમણ થી બચે તેની કાળજી લેવા પણ તાકીદ આ વાતચીત દરમ્યાન કરી હતી ગામોના સરપંચો એ મુખ્ય મંત્રી એ તેમની સાથે સીધી વાતચીત કરી ગામની પરિસ્થિતિ ની રજેરજ માહિતી મેળવી તેની આગવી સંવેદનશીલતા ની અનુભૂતિ કરી હતી રાજય સરકાર દ્વારા દરેક ગામમાં લેવાઈ રહેલા સૌના આરોગ્ય સુખાકારી ના પગલાંઓ અનાજ નો પૂરતો જથ્થો સાફ સફાઈ વગેરે અંગે તેમણે સંતોષ વ્યકત કર્યો હતો.